સાંધા ના દુખાવા માં સચોટ અને ઝડપી સારવાર આપતી અગ્નિકર્મ ની સારવાર ની સમજણ – What is Agnikarma ? How it works as ayurvedic treatment for joint pains ?
Click here to read this article in English Language.
અગ્નિકર્મ એટલે શું?
અગ્નિકર્મ એ આયુર્વેદ માં જણાવેલી એક વિશિષ્ઠ ચિકિત્સા પદ્ધતિ છે. જે ખાસ કરીને સાંધા અને સ્નાયુ ના દુખાવામાં ઉપયોગી છે. ઘણા વર્ષો પહેલા આચાર્ય સુશ્રુતે આ ચિકિત્સા પદ્ધતિ વિકસાવેલી છે. પણ સમય જતા તે વિલુપ્ત થઈ ગયી હતી. હમણા છેલ્લા કેટલાક વર્ષો થી ફરી પાછી વિકસિત થઈ છે.
અગ્નિકર્મ કોને કરી શકાય ?
અગ્નિકર્મ એ ખાસ કરીને સાંધા અને સ્નાયુ નાં દુખાવા માં પરિણામ આપે છે આથી જેઓને સાંધા ના દુખાવા, “વા” નાં રોગો, આમવાત, ગાંઠિયો વા, કમર નાં દુખાવા, સાયટીકા, ફ્રોઝન સોલ્ડેર ના જેવા દુખાવાઓમાં આ ચિકિત્સા લાભ આપે છે.
અગ્નિકર્મ માં શું કરવામાં આવે છે ?
અગ્નિકર્મ સોનું, ચાંદી, તાંબુ, કાંસું, લોહ, એમ પાંચ ધાતુઓ થી શલાકા બનાવેલી હોય છે જેને ચોક્કસ તાપમાને ગરમ કરીને ચોક્કસ જગ્યા નક્કી કરીને ત્યાં ખુબજ અલ્પ સમય માટે સ્પર્શ કરાવવામાં આવે છે જેના પર પછી તરત જ મલમ લગાવવા માં આવે છે આ માત્ર બાહ્ય પ્રયોગ જ છે. નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટર દ્વારા આ ચિકિત્સા એટલી સાવચેતી થી કરવામાં આવે છે કે જે ભાગ પર તેને કરવામાં આવે છે ત્યાં કોઈ પાક કે ફોલ્લો થતો નથી.
અગ્નિકર્મ નું પરિણામ કેટલા સમય માં મળે ?
અગ્નિકર્મ એ દરેક દર્દી પ્રમાણે અલગ-અલગ પરિણામ આપે છે છતાં પણ અગ્નિકર્મ નાં પરિણામ ની શરૂઆત એ માત્ર ૧૦ જ મિનીટ માં આવવાની શરુ થાય છે. સારું પરિણામ મેળવવા માટે અગ્નિકર્મ ની ૨-૩ વાર ટ્રીટમેન્ટ લેવી પડે છે. અગ્નિકર્મ નો મૂળ આશય દુખાવા ને ઓછો કરી એલોપેથી ની પેઈન કિલર ની ગોળીઓ લેવાતી અટકે અને તેની સાઈડ ઈફેક્ટ થતી અટકાવવી શકાય.
સાવચેતી : આ લેખ એ માત્ર માહિતી માટે છે. આ અગ્નિકર્મ એ માત્ર નિષ્ણાંત આયુર્વેદિક ડોક્ટર દ્વારા જ કરાવવું જોઈએ.
Click here to read this article in English Language.
આ ઉપરાંત વિશેષ માહિતી માટે અહી ક્લિક કરો.
વિશેષ માહિતી માટે સંપર્ક કરો. ૦૯૪૨૭૬૪૨૮૧૧; ૦૭૯-૨૬૯૨૨૧૧૦