Skip to main content

(Click here to read this article in English)

આ લેખમાં હું તમારી સાથે એક સરસ કેસ સ્ટડી રજુ કરી રહ્યો છું  જ્યારે નોન આલ્કોહોલિક સીરોસીસ ઓફ લીવર જેવી ગંભીર બીમારી જેમાં આધુનિક વિજ્ઞાન પ્રમાણે લીવર ટ્રાન્સપ્લાંટ ની સલાહ મળી હતી તેવા સમયે, કેવી રીતે આયુર્વેદિક દવાઓથી તેઓના આ રોગની સંપૂર્ણ સારવાર થઇ અને તેઓ લીવર ટ્રાન્સપ્લાંટને અટકાવી શક્યા.

લીવરના તે દર્દીની મળેલી પ્રાથમિક માહિતી

તારીખ ૨૯, ઓગસ્ટ-૨૦૧૯ નાં રોજ દર્દી અને તેમના સગાની સાથે આયુર્ભવ પહેલી મુલાકાત થઇ. દર્દીની ઉમર ૩૯ વર્ષ/ફીમેલ. કન્સલટેસન રૂમમાં આવતા જ તેમનું જલોદર (એટલે કે પેટમાં લીવરની બીમારીના કારણે પાણી ભરાવું તે, જેને મોડર્ન સાયન્સમાં કહીએ તો Ascites થયું ગણાય,) એ ખુબ વધારે હોઈ સીધું જ નજરે પડી રહ્યું હતું,

તે સમયે તેમના લક્ષણોએ નીચે મુજબ હતા-

  • જલોદર (સરળ શબ્દોમાં પેટમાં પાણી ભરાવવું)
  • આંખોમાં ઘેરી પીળાશ,
  • કમળો – આખા શરીર પર પીળાશ
  • ચહેરા ઉપર તેમજ ગળાના ભાગે ઘેરા કાળા ઉભાર,
  • અશક્તિ
  • શરીરમાં તાવ હોય તેવું જણાવ્યું.
  • અસહ્ય થાક,
  • ભૂખ નાં લાગવી
  • પગમાં સોજા
  • Urine પણ ઓછું થઇ ગયુ હતુ.

આ સમયે…

  • વજન ૬૪.૫૦૦ કિ.ગ્રા.;
  • SpO2- 95%,
  • Pulse – ૧૩૦/મિનીટ,
  • BP- ૧૦૦/૭૦ mmHg નોધ્યું.

દર્દી અને તેમના લીવરના રોગની તબક્કાવાર માહિતી

દર્દીનો જન્મ અને ઉછેરએ ભારતનો હતો પણ તેઓ આશરે છેલ્લા ૨૧ વર્ષથી કેનેડા રહેતા હતા. ૪, મે-૨૦૧૯ નાં રોજ તેઓને સૌથી પહેલા કેનેડામાં ઉલટી, ઉબકા, અને શરીર તથા આંખોમાં પીળાશ જણાતા તેઓ ત્યાંની હોસ્પિટલમાં દાખલ થયા તે સમયે સૌપ્રથમ વખત લીવર ફંક્શનના રીપોર્ટ – SGPT માં વધારો આવેલો જણાયો. ત્યારબાદ ઘણા રીપોર્ટના અંતે ત્યાંની હોસ્પીટલમાં આ રોગને “ ઓટોઈમ્યુન હિપેટાઈટીસ ” તરીકે નિદાન કર્યો અને તારીખ ૧૫, મે-૨૦૧૯ ના રોજ Predinisolon ૬૦ mg થી આપવાની શરૂઆત કરી. તારીખ ૧૭, મે-૨૦૧૯ ના રોજ ત્યાંથી આ જ દવાઓ સાથે તેઓને ડીસ્ચાર્જ આપવામાં આવ્યું.

ડીસ્ચાર્જ પછી દર્દી ભારત પરત આવ્યા.

અને ભારત આવ્યા પછી તેઓને અમદાવાદની એક જાણીતી એલોપેથીની હોસ્પિટલમાં તારીખ ૩, જુન-૨૦૧૯ ના રોજ દાખલ થયા. અહી તેમના તમામ રીપોર્ટ કરવામાં આવ્યા, આ તમામ રીપોર્ટને આ લેખમાં સાથે જોડવામાં આવ્યા છે.

અને તારીખ ૩, જુન ૨૦૧૯ ના થયેલા રીપોર્ટ નીચે પ્રમાણે છે-

(all reports are attached at the end of this article.)

  • Haemoglobin             – 15.2 gm%
  • WBC Count                 – 10,800 /cmm
  • Platelet Count           – 1,10,000/cmm

Liver Function Test

  • S. Bilirubin
    • Total Bilirubin             – 29.9 ^ mg%
    • Direct Bilirubin           – 24.8 ^ mg%
    • Indirect Bilirubin       – 5.1 ^ mg%
  • SGPT                             – 170 ^ I.U/L
  • Alkaline Phosphatase – 442 ^ I.U/L
  • HBsAg – Negative
  • HCV – Negative
  • IgM Ab To Hepatitis E Virus – 0.23
  • AB To Hepatitis A Virus IgM – 0.62
  • Hepatitis A Virus (IgG) – 12.06
  • Copper Level – 109.64 ug/dl
  • Bleeding Time – 1:45
  • Clotting Time – 4:50
  • Prothombin Time-
    • Test – 22 Sec –
    • Control – 15 Sec

પછી ૪, જુન ૨૦૧૯ના રોજ તેમની સોનોગ્રાફી થઇ તેની વિગત નોધુ છું, –

 “Liver is small sized (11.9cm) shrunken with course echo pattern & nodular margin, suggestive of Cirrhosis. Mild to Moderate ascites seen.”

જેને સરળ શબ્દોમાં કહીએ તો તેમનું લીવર સંકોચાઈ રહ્યું હતું અને તેનો દેખાવ સીરોસીસ હોવાનો જણાઈ રહ્યો હતો, અને પેટમાં પાણી ભરાયેલું હતું.

આમ, તે હોસ્પીટલમાં તેઓને સીરોસીસ ઓફ લીવરના નિદાનની જાણકારી સાથે લીવર ટ્રાન્સપ્લાંટ માટેની સલાહ આપવામાં આવી.

આ તમામ પાસાને ચકાસતા આ દર્દીનો ઓટોઈમ્યુન હિપેટાઈટીસ એ હવે સીરોસીસ ઓફ લીવરમાં પરિણમ્યો હતો જે અત્યંત ગંભીર અને જીવલેણ રોગ હતો.

દર્દી અને તેના સગાએ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા નહોતા માંગતા અને આથી તેઓ બીજી કોઈ ચિકિત્સા પદ્ધતિ શોધી રહ્યા હતા કે જેથી લીવર ટ્રાન્સપ્લાન્ટને નિવારી શકાય. આ અરસામાં, દર્દીના ભાઈને ગુજરાતમાં અમદાવાદમાં આવેલા આયુર્ભવ- આયુર્વેદ અને પંચકર્મ ક્લિનિકની જાણકારી મળતા તેઓ અહી લીવર ટ્રાન્સપ્લાન્ટ અટકાવવા અને લીવરની આ ગંભીર બીમારીમાંથી બહાર નીકળવાના એક આશાના કિરણ તરીકે મળવા આવ્યા.

આયુર્વેદની લીવર માટેની સારવાર

આયુર્વેદમાં આવા જીર્ણ લીવરના રોગો અને સીરોસીસ ઓફ લીવર જેવી ગંભીર બીમારીઓનું સંપૂર્ણ વર્ણન એ જલોદર – યકૃતદાલ્યુંદર તરીકે ઉદરરોગના તેમજ પાંડુ, કામલાના અધ્યાયમાં વિગતવાર વર્ણન કર્યું છે. આયુર્વેદની આ રોગ બાબતની વિગતવાર જાણકારી માટે અહી ક્લિક કરો.

તારીખ ૨૯,ઓગસ્ટ-૨૦૧૯ના રોજ દર્દીની સ્થિતિને આયુર્વેદની દ્રષ્ટીએ પુરતી સમજ્યા બાદ આયુર્વેદ પ્રમાણે તેને દવાઓ અને પરેજી સમજાવામાં આવી. અને શરૂઆતની ૧૫ દિવસની દવાઓ આપવામાં આવી અને આ દવાઓના કારણે જોવા મળતા ફેરફારોને બારીકાઇથી નોધાવા માટે કહ્યું.

૧૫ દિવસમાં જ તેઓને પગના સોજા અને પેટના પાણીમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો. અને આ સુધારાત્મક ફેરફારો પછી આ જ પ્રમાણે દવાઓને ચાલુ રાખવામાં આવી. ૧ મહિના પછી તમામ રીપોર્ટ ફરી કરવામાં આવ્યા અને તેમાં પણ ઘણો જ સુધારો જોવા મળ્યો. તેઓ આટલા દિવસો માં જ તે પોતાના બધા કામ પોતાની જાતે કરતા થઇ ગયા હતા.

૨૦ ડીસેમ્બર, ૨૦૧૯ના રીપોર્ટસ નીચે પ્રમાણે હતા-

(all reports are attached at the end of this article.)

  • Haemoglobins           – 12.7 gm%
  • WBC Count                 – 7800 /cmm
  • Platelet Count           – 1,78,000 /cmm
  • Liver Function Test
    • Total Bilirubin             – 1.30 mg%
    • Direct Bilirubin           – 1.23 mg%
    • Indirect Bilirubin       – 0.07 mg%
  • S. Protein  
    • Total protein              – 6.77 g/dl
    • Albumin                       – 2.48 g/dl
    • Globulin                       – 4.29 g/dl
  • Prothombin Time
    • PT                   – 12.4 Sec
    • MNPT           – 11.9 Sec
    • INR                 – 1.04 Sec

તારીખ ૧૭, જાન્યુઆરી ૨૦૨૦ના રોજ તેમની સોનોગ્રાફી કરવામાં આવી જેની વિગત આ પ્રમાણે હતી –

“Liver: Normal in size, smooth in shape having course parenchymal echogenicity s/o chronic parenchymal disease, Longest dimension measure: 13.6 cm No free fluid is seen in pleural or peritoneal cavity.”

સરળ શબ્દોમાં કહીએ તો જે પહેલાની સોનોગ્રાફીમાં લીવર સંકોચાયેલું જણાતું હતું તે હવે વળી તેની સામાન્ય અવસ્થામાં આવી ગયું હતું.

પરિણામ ખુબ જ હકારાત્મક હતુ. તે પછી તેમનું આયુર્ભવમાં તેઓની, તેમના રોગની, અને આયુર્વેદની સારવાર વિશેના અનુભવો માટેની મુલાકાત ગોઠવી જેનું વિડીઓ રેકોર્ડીંગ એ આ લેખમાં જોડેલું છે.

તેઓને તા. ૨૨ જાન્યુઆરી-૨૦૨૦ નાં રોજ તેઓને સંતોષકારક સ્મિત સાથે વળી પાછા કેનેડા મોકલવામાં આવ્યા છે જ્યાં તેઓ તેમનું રૂટીન જીવન જીવી રહ્યા છે.

હા, આયુર્વેદથી લીવર ટ્રાન્સપ્લાંટ અટકાવી શકાય છે તેટલું જ નહિ પણ લીવરનાં આવા ગંભીર રોગોમાંથી પણ બચાવી નવું જીવન આપી શકાય છે.

આયુર્વેદ એ ખુબ જ સચોટ વિજ્ઞાન છે.

(Click here to read this article in English)

આયુર્વેદ પ્રમાણે આ રોગ અને તેની સમજ માટે અહી ક્લિક કરો

વધુ જાણકારી કે મુલાકાત માટે અહી ક્લિક કરો.

Before Treatment Reports

After Treatment Reports

CBC
LFT
Protein
PT INR
USG Abdomen KUB