Best result of ayurvedic medicine in Alcoholic Liver Disease
આયુર્વેદિક દવાઓ દ્વારા આલ્કોહોલિક લીવર ડીસીઝ માં શ્રેષ્ઠ પરિણામ.
(Click here to read this case study in English)
લીવરના દર્દી વિશે મળેલી પ્રાથમિક જાણકારી
તારીખ ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ વહેલી સવારે, મારા ડોક્ટર મિત્રનો મારા પર ફોન આવ્યો, “હેમાંગ, એક આલ્કોહોલિક સિરોસીસ ઑફ લીવરનો કેસ છે, એલોપેથીમાંથી લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ મળી છે, આયુર્વેદ પ્રમાણે શું થઇ શકે ?” – આયુર્વેદના મારા ગુરૂજીની સાથે રહીને આવા ઘણા કેસ જોવા મળેલા અને તેઓને સાજા થતા જોયેલા, આથી મેં મારા મિત્રને પ્રત્યુત્તર આપતા “હા” કહ્યું. ત્યારબાદ થોડી વિગતે જાણકારી મળી કે તે દર્દીનું બીલીરૂબીન ૨૧.૯૯ mg/dl છે, તેમજ તેઓ બિલકુલ પથારીવશ હતા અને થોડી પણ મુસાફરી સહન કરી શકે તેમ નહોતા, આથી મેં દર્દીના સંબંધીને તેમના બધા જ રીપોર્ટ્સ સાથે મળવા આવવા જણાવ્યું.
લીવરના દર્દીની તે વખતની પરિસ્થિતી
તે જ દિવસે સાંજે તારીખ ૭ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ દર્દીના સગા મને તેમના છેલ્લા બધા જ રીપોર્ટ્સ સાથે મળ્યા. દર્દી ના ફોટોગ્રાફ્સ અને દર્દીના સગાઓએ આપેલ માહિતી મુજબ તે સમયની દર્દીની પરિસ્થિતી આ મુજબ હતી.
તેમની આંખ માં નોંધપાત્ર ઘેરી પીળાશ હતી, Ascitis ના કારણે તેઓનું પેટ ફૂલી ગયેલું, પગ ના ભાગે સોજા હતા અને બાકીનું શરીર સુકાઈ ગયું હતું. આ ઉપરાંત દર્દીની ફરિયાદમાં તેમને તાવ આવતો, ભૂખ નહોતી લાગતી, આખા શરીરે ખંજવાળ, અત્યંત અશક્તિ, થોડું ભુલાઈ જવું અને પેશાબ ઓછો તથા પીળો ઉતરવો.
આ ઉપરાંત તેમના મેડીકલ રીપોર્ટ આ પ્રમાણે હતા;
CBC – Hb – 9.5 gm%, WBC – 17,290/mql Platelets – 1,56,000/cumm; Liver Fuction Test :- S.Bilirubin – 21.99 mg/dl (Normal 1.0mg/dl) Direct – 11.57 mg/dl Indirect – 10.42 mg/dl SGPT – 11 SGOT – 91 S. Creatinine – 3.93 mg/dl (Above reports are taken on dated 23/09/2017)
USG Abdomen (on dated 15/07/2017) – Radiologically changes of liver parenchymal disease with gross ascites (> 5 litres). Mild bilateral pleural effusion.
દર્દીના સગાને વિશેષ પૂછતા દર્દી છેલ્લા ૬ – ૭ વર્ષથી સતત દારૂનું સેવન કરતા અને છેલ્લા ૩ – ૪ મહિનાથી ઉપરના લક્ષણો તેઓને વિશેષરૂપે ધ્યાનમાં આવ્યા હતા. દર્દી મૂળ રાજકોટથી નજીકનાં નાના ગામના રહેવાસી હતા. આથી તેઓ શરૂઆતમાં રાજકોટની નામાંકિત મોટી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા, ત્યાં તેઓને પ્રાથમિક તબક્કે કેટલીક એલોપેથીક સારવાર અને દવાઓ શરૂ કરવામાં આવી અને પેટમાં વધારે પડતું પાણી હોવાથી ટેપિંગ પણ કરાવ્યું. ત્યાંથી તેઓને લીવર બદલાવાની સલાહ આપી. ત્યારબાદ વિશેષ સારવાર હેતુ તેઓ અમદાવાદની પણ નામાંકિત હોસ્પિટલમાં આવ્યા જ્યાં તેઓએ ૨ વખત ડાયાલીસીસ પણ કરાવ્યું હતું. આ અરસામાં તેઓને અમારા મિત્ર ડૉ. હર્ષલ ઠેસિયા તરફથી અમદાવાદની “આયુર્ભવ આયુર્વેદ અને પંચકર્મ હોસ્પિટલ” નો રેફરન્સ મળ્યો.
પરિસ્થિતીની ગંભીરતા
આમ ઉપરોક્ત તમામ સ્થિતીને જોતા આ દર્દી અને તેમના રોગની ગંભીરતાની તેમના સગાને વિગતવાર મહિતી આપી. આ આલ્કોહોલિક લીવર ડીસીઝ નામના રોગની એક ગંભીર પરિસ્થિતી હતી.
લીવરની બીમારી આયુર્વેદની દ્રષ્ટિએ
ચાલો હવે થોડુક આયુર્વેદ પ્રમાણે સમજીએ.
આયુર્વેદમાં આ વ્યાધીનું કામલા અને જલોદરના નામથી વિસ્તૃત વર્ણન જોવા મળે છે, આ રોગ ત્રણ દોષોની વિકૃતિ અને વિશેષરૂપે પિત્ત દોષની વિકૃતિના કારણે થાય છે. જેમાં આપણા આયુર્વેદના આચાર્યોએ વિગતવાર માત્ર ઔષધો જ નહિં પણ આહાર અને વિહાર સાથે સંપૂર્ણ સારવાર સમજાવી છે.
આયુર્વેદિક ડોક્ટર વિશે
આયુર્વેદનો અભ્યાસ પૂરો કર્યા પછી બીજા ૫ વર્ષ આવા રોગ અને તેની આયુર્વેદ મુજબ સારવાર અમારા આયુર્વેદનાં અનુભવી વૈધરાજ પાસે રહીને વિસ્તૃત માહિતી અને પ્રયોગિક જાણકારી મેળવવાનો મોકો મળેલો. મારા એ અનુભવ દરમિયાન ગુરૂજીનાં અનેક વર્ષોનાં અનુભવોનું ભાથું અને આ પ્રકારનાં ઘણા રોગીઓની આયુર્વેદમાં જણાવ્યા મુજબની સચોટ સારવાર વિશે પ્રત્યક્ષ જાણવા મળ્યું હતું તે જ્ઞાનનો ઉપયોજ આજે મારે મારા દર્દીની સારવાર માટે કરવાનો હચો.
આયુર્વેદની લીવર માટેની દવાઓ
આવા ગંભીર રોગોમાં માત્ર દવાઓ જ નહી પરંતુ પરેજી પણ ખુબજ મહત્વની હોય છે દર્દીના સગાઓને દર્દીને લેવાની આયુર્વેદની દવાઓ અને પરેજીની વિસ્તૃત સમજ આપી. તેમજ આ પ્રમાણે ૧૫ દિવસ પાલન કરવું અને જો આ ૧૫ દિવસમાં સામાન્ય પણ ફરક જણાશે તો જ સારવાર આગળ ચલાવીશું એમ પણ જણાવ્યું.
આયુર્વેદિક દવાઓની અસર માત્ર ૧૦ દિવસમાં જ દેખાઇ
૧૦ દિવસ પુરા થતા જ દર્દીના સગાનો ફોન આવ્યો અને જણાવ્યું કે “દર્દીને સારૂ છે આગળની ૧ મહિનાની દવાઓ મોકલશો.” વિશેષ જણાવ્યું કે ૧૦ દિવસમાં તેમના પગના સોજા ઉતરી ગયા હતા, પેટ પણ સામાન્ય સ્થિતીમાં આવતું હોય તેવું જણાયું, ત્યાનાં સ્થાનિક ડૉકટરે પણ તપાસ કરતાં તેમની સ્થિતી સામાન્ય છે તેમ જણાવ્યું.
વાહ !! આયુર્વેદની દવાઓએ તેનો સર્વોત્તમ પ્રભાવ દેખાડ્યો.
ત્યાર બાદ તે જ પરેજી સાથે ૧ મહિનાની આયુર્વેદીક દવાઓ મોકલી આપી.
૧ મહિના પછી
તારીખ ૧૦/૧૧/૨૦૧૭નાં રોજ આ દર્દીને આયુર્વેદની દવાઓનો ૧ મહિના જેટલો સમય થઇ ગયો હતો આથી તેમના લીવર ફંક્શન ટેસ્ટ સાથે અન્ય લોહીના રીપોર્ટ કરાવ્યા. રીપોર્ટ માં નોધપાત્ર સુધારો હતો. બીલીરૂબીન જે પહેલાં ૨૧.૯૯ mg/dl હતું તે ઘટીને ૨.૭૭ mg/dl થઇ ગયું (બાકી ના રીપોર્ટસ ના ફોટોગ્રાફ્સ એ આ લેખ પૂરો થતા મુકેલા છે)
આગળની સારવાર માટે એ જ પ્રમાણે બીજા ૧ મહિનાની દવાઓ મોકલવામાં આવી.
માત્ર અઢી મહિનામાં મળ્યું અભૂતપૂર્વ પરિણામ
સંપૂર્ણ આયુર્વેદિક સારવારનાં અઢી મહિના પુરા થતા તારીખ ૨૬/૧૨/૨૦૧૭નાં રોજ ફરી પાછા બધાજ રીપોર્ટ કરાવામાં આવ્યા, આ સમયે બીલીરૂબીન તદ્દન નોર્મલ ૦.૬૪ mg/dl હતું. તેમજ બાકીના બધાજ રીપોર્ટ પણ ખૂબ જ સામાન્ય તથા સોનોગ્રાફી રીપોર્ટ માં પણ પેટમાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછુ હતું આ ઉપરાંત દર્દીને હવે પહેલા જેવા દેખીતા કોઈ લક્ષણો નહતા, આંખોની પીળાશ પણ જતી રહી અને આંખો સાવ સમાન્ય થઇ ગઇ હતી, અત્યારે તેઓ પોતાનું નિત્યકાર્ય પોતાની મેળે સ્વતંત્ર કરતા થઇ ગયા છે.
આ દર્દીની આયુર્વેદ મુજબ સારવાર શરૂ કર્યાં પહેલા અને પછીના તમામ રીપોર્ટ અને તેનું તુલનાત્મક અધ્યયન આ લેખ સાથે જોડેલું છે તેમજ દર્દીની સારવાર પહેલા અને પછીના ફોટોગ્રાફ પણ ઉપલબ્ધ છે.
અત્યારે…
જયારે આ લખાઈ રહ્યું છે ત્યારે તેમની તબિયત ઘણી સારી છે, આયુર્વેદની દવાઓ ચાલુ છે જે આગળ ૬ થી ૯ મહિના સુધી ચાલશે.
આયુર્વેદ દવાઓની આલ્કોહોકિક લીવર ડીસીઝ પરની શ્રેષ્ઠ અસરોનું આ પ્રમાણ છે.
ખરેખર આયુર્વેદ એક જીવનનું વિજ્ઞાન છે.
(Click here to read this blog in English)
આયુર્વેદ દ્વારા સારવાર ની પહેલાંના રીપોર્ટસ
- CBC Report Before Treatment
- LFT RFT Before Treatment
- Sonography Before Treatment
સારવાર દરમિયાનના રીપોર્ટ
- CBC During Treatment
- LFT RFT During Treatment
- Protein During Treatment
- USG During Treatment
સારવાર પછીના રીપોર્ટ
- CBC After Treatment
- Bilirubin Protein After Treatment
- SGPT SGOT After Treatment
- RFT After Treatment
- PT INR After Treatment
- USG After Treatment
વધુ માહિતી માટે સંપર્ક કરો.