વારંવાર પુછાતા પ્રશ્નો :-
Frequently Asked Questions for Liver Disease (For English click here)
सामान्यतः पूछे जाने वाले प्रश्न (हिंदी के लिए यहाँ क्लिक करे )
પ્ર.૧ આયુર્ભવમાં લીવરના રોગોની સારવાર કઈ ચિકિત્સા પદ્ધતિથી થાય છે ?
જ. અહી લીવરના રોગની સારવાર એ સંપૂર્ણ આયુર્વેદની દવાઓથી જ થાય છે.
પ્ર. ૨ આયુર્ભવ દ્વારા લીવર સીરોસીસ જેવા ગંભીર રોગોમાં સારવારનો કોઈ અનુભવ છે ?
જ. હા, અહી ૨૦૧૫થી માત્ર આયુર્વેદિક દવાઓથી ઘણા લીવર સીરોસીસ ના દર્દીઓને સારા પરિણામ આપી શક્યા છીએ. દર્દીઓના પહેલાના અને પછીના આયુર્વેદ ના રીપોર્ટસ આ Website ઉપર પણ મુકવામાં આવેલા છે, તેને જોવા માટે અહી ક્લિક કરો. તેમજ આ દવાઓ કેવી-રીતે કામ કરે છે તેને વિગત વાર જાણવા માટે અહી ક્લિક કરો.
પ્ર. ૩ અત્યારે અમને લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળી છે. શું આવા સ્ટેજમાં આયુર્વેદની દવાઓથી સારવાર થઇ શકે ?
જ. હા, અહી એવા ઘણા દર્દીઓને આયુર્વેદની સારવાર આપવામાં આવી છે જેઓને લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળી હતી. અને તેઓને ખુબ સારા પરિણામો મળ્યા છે આ પરિણામોને ચકાસવા અને વિસ્તાર થી જાણવા માટે અહી ક્લિક કરો.
પ્ર. ૪ આયુર્વેદની દવાઓ એ શું ગંભીર પરિસ્થિતિમાં પહોચેલા દર્દીઓને પરિણામ આપી શકે ?
જ. હા, અહી એવા ઘણા દર્દીઓને આયુર્વેદની સારવાર આપવામાં આવી છે જેઓને લીવર ટ્રાન્સપ્લાન્ટની સલાહ મળી છે. અને તેઓને ખુબ સારા પરિણામો મળ્યા છે, છતાં પણ જેટલા વહેલા સારવાર શરુ થાય તેટલો ઝડપી ફાયદો મળે છે.
પ્ર. ૫ પગમાં સોજા આવ્યા હોય તો / કમળાનું પ્રમાણ વધારે હોય તો / પેટમાં પાણી વારવાર પાણી ભરાતું હોય તો / લોહીની ઉલટી થતી હોય તો / દર્દી બકવાટ કરતો હોય તો – આવી તકલીફ માં દવા કરી શકાય ?
જ. હા, લીવર ના ગંભીર રોગ સીરોસીસ ઓફ લીવરમાં આવા બધા જ લક્ષણો એ વધારે કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે, આવા દર્દીને પુરતા પ્રમાણ તપાસીને તેની યોગ્ય સારવાર આયુર્ભવમાં આપવામાં આવી રહી છે.
પ્ર. ૬ લીવરની આ સારવાર માં કોઈ ખાસ પરેજી રાખવી પડે છે ?
જ. હા. જયારે લીવર એ પોતાના મૂળ કામોને સારી રીતે કરી શકતું નથી તેવા સીરોસીસ જેવા ગંભીર લીવરના રોગો માં પરેજી એ સારવારનો મુખ્ય પાયો છે. દર્દીને રાખવાની ખાસ કાળજીઓ એ દર્દીને બરાબર તપસ્યા પછી તેઓને પરેજી બાબતે ખુબ ઝીણવટ પૂર્વક સમજવામાં આવશે.
પ્ર. ૭ શું આ સારવાર માટે દર્દીને દાખલ થવું જરૂરી છે ?
જ. ના. આ સારવાર એ માત્ર ઘરે થી થઇ શકે છે, જેમાં જણાવ્યા પ્રમાણે સમયસર દવાઓ અને પરેજી રાખવાની હોય છે.
પ્ર. ૮ જો આ સારવાર શરુ કરવામાં આવે તો હાલ માં જે દવાઓ લઇ રહ્યા છીએ તેની ચાલુ રાખવાની કે બંધ કરવાની ?
જ. શરૂવાતમાં જ્યાં સુધી આયુર્વેદની દવાઓની અસર શરુ નથી થતી ત્યાં સુધી જે તે દવાઓ ચાલુ જ રાખવાની હોય છે, ધીરે ધીરે જેમાં જેમાં સુધારો થવાનો શરુ થઇ જાય તેમ તેમ જે તે દવાઓને બંધ કરાવવામાં આવશે.
પ્ર. ૯ આ દવાઓની કોઈ સાઈડ ઈફેક્ટ આવે છે ?
જ. બિલકુલ નહિ. આ સારવાર એ માત્ર આયુર્વેદના દિવ્ય ઔષધિઓ થી કરવામાં આવે છે જેની કોઈ આડઅસર – સાઈડ ઈફેક્ટ નથી.
પ્ર. ૧૦ આ સારવારમાં શું શું કરવામાં આવે છે ?
જ. આયુર્વેદના પ્રાચીન ચિકિત્સા ગ્રંથોમાં આવા રોગની વિસ્તાર થી માહિતી અને ચિકિત્સા જણાવવામાં આવી છે, જેમાં જણાવ્યા પ્રમાણે સમયસર આયુર્વેદની દવાઓ લેવાની અને પરેજી રાખવાની હોય છે.
પ્ર. ૧૧ જો દવા શરુ કરવામાં આવે તો કેટલા સમય માં સારું થાય ?
જ. સારા થવા લાગતો સમય એ વ્યક્તિની ઉમર, રોગ કેટલા સમયથી છે તે, રોગની શરીર ઉપર કેટલા પ્રમાણમાં અસર પહોચી છે તે, દવા કેટલી નિયમિત લેવામાં આવે છે તેના ઉપર આધાર રાખે છે.
તેમ છતાં પણ મોટાભાગે દર્દીઓને દવાઓ શરુ થયા ના ૧૫ દિવસ માં થોડો સુધારો દેખાવાનો શરુ થઇ જાય છે.
પ્ર. ૧૨ આ સારવારમાં ખર્ચ કેટલો થાય છે ?
જ. આ સારવાર એ બહુ વધારે ખર્ચ થતો નથી. છતાં પણ લીવરના દર્દીને તપાસીને જણાવી શકાય. તેમ છતાં આશરે ખર્ચ જાણવા માટે અહી આપેલા નંબર ઉપર કોલ કે વોટ્સએપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકાશે. મો. ૯૪૦૯૦૩૧૦૦૦.
પ્ર. ૧૩ અમારે આ સારવાર લેવી હોય તો શું કરવાનું રહેશે ?