(Click here to read this article in English)
( इस लेख को हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करे | )
ગુજરાતના અમદાવાદ શહેર સ્થિત આયુર્ભવ નામની આયુર્વેદ હોસ્પિટલ એ માનવ શરીર ના અતિ મહત્વ ના અંગ એવા લીવરના અતિ ગંભીર રોગોમાં સારૂ પરિણામ આપી રહી છે.
અહી તેમાંના જ એક સારા થયેલા કેસ વિશે વિગતવાર વાત કરવી છે
આ કેસ એ રાજકોટની નજીક કુવાડવા ગામમાં રહેતા રસિકભાઈ કાકડીયા નો કેસ છે
રસિકભાઈ ને શરૂઆતમાં પગમાં સોજા અને પેટમાં પાણી ભરાવવાની ફરિયાદ શરૂ થઈ હતી. આથી તેઓ રાજકોટની કોઈક નામી હોસ્પિટલમાં નિદાન અર્થે ગયા અને તેમને લિવરની ગંભીર બીમારી એવી cirrhosis of liver હોવાનું જણાવ્યું અને પેટમાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થતી નહોતી આથી તેમને પેટમાંથી પાણી કઢાવ્યું. પાણી ખેંચવા છતાં પણ થોડા જ સમયમાં ફરી પાછું પાણી ભરાઈ જવાની સમસ્યા ચાલુ રહી હતી, અને આ જ અરસામાં તેમને એક થી બે વખત લોહીની ઊલટીઓ પણ થઈ હતી.અને તેથી એન્ડોસ્કોપી કરીને તેમને ફરીથી લોહીની ઊલટીઓ ના થાય એ માટે એન્ડોસ્કોપી કરીને બેન્ડિંગ કરવામાં આવ્યું.
આમ આવી સમસ્યા એ વારંવાર થતી રહેતી હોવાથી, આ રોગની અંતિમ સારવાર રૂપે તેમને લીવર બદલાવાની સલાહ આપવામાં આવી. કરવી
આથી રસિકભાઇએ ફરી કોઈ બીજા ડોક્ટર પાસે થી પણ સલાહ લીધી. અને ત્યાં પણ અવારનવાર પાણી ખેચવામાં આવ્યું અને આમ આ પ્રક્રિયા અવાર-નવાર ચાલુ જ રહી.
રસિકભાઈને એકવાર તેમના ગામમાં આયુર્ભવ આયુર્વેદ હોસ્પિટલ, અમદાવાદથી લીવરનાં આવા જ રોગ માંથી સાજા થયેલા એક દર્દીના સગાને મળવાનું થયું અને તેમને આયુર્ભવ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવ્યું રસિકભાઈ એ અમદાવાદમાં આયુર્ભવ હોસ્પિટલની મુલાકાત લીધી.
અહી ડોકટર હેમાંગભાઈ સોની દર્દીને બરાબર તપાસ્યા અને તેઓને આ સારવારમાં આયુર્વેદ કેવી રીતે મદદ કરી શકે છે – તેની સમજ આપી, તેમજ સારવાર દરમિયાન એક ચોક્કસ પ્રકારની પરેજી પાળવા માટે પણ જણાવ્યું. પરેજીમાં તેઓને ખોરાક તરીકે માત્ર દૂધનો જ ઉપયોગ કરવા માટે જણાવ્યું. આ સિવાય બીજું કાઈ જ નહિ લેવા સૂચવ્યું. અને રસિકભાઇએ આમ આયુર્વેદની સારવાર શરૂ કરી તેઓએ આયુર્વેદિક દવાઓ અને સૂચવ્યા પ્રમાણે ની પરેજી પાળવાનું શરૂ કરી.
શરૂઆતના પંદર જ દિવસની સારવારમાં જ તેઓને જે પહેલા ત્રણથી ચાર દિવસમાં જ પાણી ભરાઈ જતું અને પંદર દિવસે પાણી ખેંચવા પડતું હતું તે હવે એક મહિનો જવા છતાં પણ પાણી ભરાયું નહતું. આમ તેમને એક જ મહિનામાં નોંધપાત્ર સુધારો જણાયો અને આથી આ જ સારવાર તેઓ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો.
ધીમે ધીમે તેમને આ સારવારથી સુધારો થતો જણાતો ગયો તેમની જે પાણી બનવાની પ્રક્રિયા હતી તે હવે પહેલા કરતા ઘણી ધીમી થઇ ચૂકી હતી તેઓને પહેલાં કરતાં ભૂખ પણ ઘણી ખીલી હતી અને આથી થોડા સમય પછી તેમને ખોરાકમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે, આમ, જેમ જેમ આ સારવાર આગળ થતી ગઈ અને જેમ જેમ સુધારો આવતો ગયો તેમ તેમ તેઓને ખોરાકની છૂટ આપવામાં આવતી ગઈ.
આ આખી સારવાર એ અંદાજીત દસેક મહિના જેટલી ચાલી આજે રસિકભાઈ પોતાની જાતે જ પોતાનું કામ કરી શકે છે, પોતે થોડું ખેતીવાડી નું પણ કામ કરે છે, પોતે મોટરસાયકલ પણ ચલાવી શકે છે અને છેલ્લા કેટલાય સમયથી તેમની પાણી ભરવાની પ્રક્રિયા એ બિલકુલ બંધ થઇ ચૂકી છે પહેલાના અને પછીના રિપોર્ટમાં પણ એમને નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
રસિકભાઈ પોતે અત્યારે આ સારવારથી સારુ અનુભવ કરી રહ્યા છે તેમને આ સારવારથી પૂર્ણ સંતોષ છે અને આથી જ હવે જ્યારે કોઈ લીવરના દર્દીઓ વિશે એમને જાણ થાય છે તો તેઓ તેમને આયુર્ભવ આયુર્વેદ હોસ્પિટલ અમદાવાદ માં આયુર્વેદિક સારવાર લેવા માટે જણાવે છે
રસિકભાઈ ના પહેલા અને પછીના ફોટોગ્રાફ્સ એ અહીં જોડવામાં આવ્યા છે અને સારવાર પછી સારા થયા પછી તેમનો ઇન્ટરવ્યુ થયો તે પણ અહીં જોડવામાં આવ્યો છે.
જો કોઈપણ વ્યક્તિને રસિકભાઈ સાથે વાત કરવી હોય તો તેઓને રસિકભાઈ નો મોબાઇલ નંબર એ આયુર્ભવ હોસ્પિટલમાં થી મળી રહેશે
ખરેખર આયુર્વેદ આવા ગંભીર રોગોમાં ખુબ જ સારા પરિણામ આપી રહ્યો છે.