(Click here to read this article in English)
( इस लेख को हिंदी में पढ़ने के लिए यहाँ क्लिक करे | )
બળદેવજી ઠાકોર નો કેસ
ગુજરાતમાં અમદાવાદ સ્થિત આયુર્ભવ એ ઘણા સમયથી લીવરના ગંભીર રોગોની સારવાર આપી રહ્યું છે.
આજે એમાંનો જ એક કેસ તમારી સાથે શેર કરવો છે.
દર્દીનું નામ બળદેવજી ઠાકોર, ઉંમર ૬૩ વર્ષ, જે ગાંધીનગરની જોડે પરઢોલ ગામ માં રહેનાર વ્યક્તિ છે.
બળદેવજી ને કેટલાક કારણોના લીધે લિવરની ગંભીર બીમારી જેને cirrhosis of liver કહેવાય છે તેનું નિદાન થયું હતું
Cirrhosis of liver એ લિવરની ગંભીર બીમારી છે જેમાં લીવરના કેટલાક કોષો એ તેના પ્રાકૃતિક કર્મો કરતા અટકી જાય છે અને સમય જતાં જેને fibrous tissue કહેવાય તેમાં ફેરવાઈ જાય છે અને સંપૂર્ણ પણે તેનું કામ અટકાવી દેતા હોય છે. Cirrhosis of liver એ ઘણા બધા કારણોથી થાય છે આ કારણો વિશે વિગતવાર જાણવા માટે અહીં ક્લિક કરો.
બળદેવજી ઠાકોરને આ બીમારી જ્યારે થઈ ત્યારે તેમને નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણો જોવા મળ્યા
- પેટમાં પાણી ભરાવું
- પગમાં સોજા આવવા
- ક્યારેક ક્યારેક ભાન ગુમાવી દેવું
- શરીરમાં નબળાઈ
- ભૂખ ન લાગવી
- શરીરમાંથી લોહી નું પ્રમાણ ઘટવું
આવા લક્ષણો આવતા દર્દીના દીકરા રાજુભાઈ ઠાકોરે તેમને નજીકના દવાખાને સારવાર અર્થે લઈ ગયા. ત્યાં સોનોગ્રાફી દ્વારા તેમને cirrhosis of liver નામના રોગનું નિદાન થયું.
દર્દીને તે સમય પર જે તકલીફ હતી તેના પ્રમાણે ની સારવાર શરૂ કરવામાં આવી.
જેમકે
- પેટમાંથી પાણી કાઢવું
- પ્રોટીન ની બોટલો ચડાવી
- પેશાબ છુટથી થાય તેવી દવાઓ આપવી
આમ, તેમને લક્ષણો થોડા ઓછા થાય તેવી કેટલીક દવાઓ દ્વારા તેમની સારવાર શરુ કરવામાં આવી, પરંતુ આવી સારવાર એ માત્ર લક્ષણોને આધારિત થતી હોવાના કારણે દર્દીઓને આ લક્ષણો એ વારંવાર આવી જતા હોય છે, બસ આવું જ બળદેવજી ઠાકોરને પણ થયું. પાણી નીકળ્યા પછી થોડા સમય માટે રાહત રહી પરંતુ ફરી પાછું પાણી ભરવાનું શરૂ થઈ ગયું અને તેઓએ ફરી પાછા નજીકના દવાખાને જઈને પાણી નીકાળ્યું અને પ્રોટીનની બોટલો લગાવી. અને આવું વારંવાર થવા લાગ્યું.
આમ, આ પ્રક્રિયા એ વારંવાર થતા તેમને સારવાર આપી રહેલા ડોક્ટરે તેઓને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લીવરના રોગની આગળની સારવાર માટે મોકલ્યા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેઓને આ cirrhosis of liver નામનો રોગ છે તેવી જાણકારી આપવામાં આવી અને આ રોગ ની સારવાર માટે તેમને લીવર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે લીવર બદલવા માટેની સલાહ આપવામાં આવી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ એક જટિલ પ્રક્રિયા છે તેમજ ખર્ચાળ પણ ખરી.
લીવર ટ્રાન્સપ્લાન્ટ માં રોગીની શારીરિક, માનસિક, તેમજ આર્થિક પરિસ્થિતિ આવા પાસાઓ ઘણું જ મહત્વ ધરાવે છે.
અને આથી જ દર્દીઓના સગા એ આના બીજા વિકલ્પો શોધવાના શરૂ કર્યા. અને અંતે તેઓ આયુર્ભવ નામની આયુર્વેદ હોસ્પિટલમાં પહોંચ્યા.
અહીં તેઓને આ રોગની આયુર્વેદ દ્વારા સારવાર કેવી રીતે થઈ શકે છે તેની વિગતવાર માહિતી આપવામાં આવી અને આ સારવાર દરમિયાન પાળવી પડતી કેટલીક પરેજીઓ વિશે સૂચન કરવામાં આવ્યું અને દર્દીએ પણ આ કરવાની તૈયારી દાખવી.
અને દર્દીએ આયુર્ભવમાં ડો હેમાંગ સોનીનાં માર્ગદર્શન હેઠળ આયુર્વેદની સારવાર કરવાની શરૂ કરી.
અહીની દવાઓ શરૂ થયાના પહેલા જ દિવસે દર્દીનું વજન, પેટ નું માપ અને તેમના લોહીના રિપોર્ટ ને ચકાસવામાં આવ્યા આમ પૂરતી રીતે દર્દીને ચકાસ્યા પછી આયુર્વેદની દવાઓ શરૂ કરવામાં આવી.
આયુર્વેદની દવાઓ અને પરેજી ને પંદર દિવસ થતાં સુધીમાં તેમને પેટમાં પાણી ભરાવાની પ્રક્રિયામાં નોંધપાત્ર ફરક જોવા મળ્યો તેમજ તેમના લોહીના રિપોર્ટ માં પણ ઘણો બધો સુધારો જોવા મળ્યો. આવો ફરક મળવાથી દર્દીના ઉત્સાહમાં પણ ખાસ્સો વધારો જોવા મળ્યો. અને તેજ દવાઓ ને ચાલુ રાખવામાં આવી.
બસ આમ, આ ટ્રીટમેન્ટ એ 8 થી 9 મહિના સુધી કરવામાં આવી અને આજે દર્દી તેના તમામ લક્ષણો થી મુક્ત છે તેની કોઈ પણ પ્રકારની આધુનિક દવાઓ કે આયુર્વેદની દવાઓ ચાલુ નથી તેને ખોરાકની તમામ રીતે છૂટ આપવામાં આવી છે. દર્દી પોતાનું કામ એ પોતાની જાતે કરી શકે છે અને લોહીના રિપોર્ટ અને સોનોગ્રાફીમાં પણ ઘણો જ સુધાર આવી ગયો છે
દર્દીના પહેલાના અને પછીના ફોટોગ્રાફ અને તેને તેનો ઇન્ટરવ્યૂ એ અહીં જોડવામાં આવ્યો છે.
જો આ દર્દી સાથે વાત કરવી હોય તો આયુર્વેદ હોસ્પિટલમાં સંપર્ક કરો ત્યાંથી તમને તેમનો નંબર મળશે અને તેમની સાથે વાત થઇ શકશે
આયુર્વેદ આવા ગંભીર રોગોમાં ખૂબ જ સારું પરિણામ આપી રહ્યું છે.